ભારત સહિત દુનિયાના 200 કરોડ વ્હોટ્સએપ યુઝર્સને એક નોટિફિકેશન મળી રહી છે. એમાં જણાવાયું છે કે 8 ફેબ્રુઆરી 2021 સુધી નવી ટર્મ્સ ઓફ સર્વિસ(સેવા શરતો) અને પ્રાઇવસી પોલિસીને એગ્રી(સ્વીકાર) કરો. એવું ન કરતાં તમારું અકાઉન્ટ ડિલિટ કરી દેવાશે, એટલે કે તમે વ્હોટ્સએપ નહીં ચલાવી શકો. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે હવે વ્હોટ્સએપ તમારી દરેક માહિતી તેની મૂળ કંપની ફેસબુક સાથે શેર કરશે. આ પહેલીવાર છે, જ્યારે વ્હોટ્સએપે લખ્યું કે તે ડેટા ફેસબુક સાથે શેર કરશે. અત્યારસુધીમાં તે આ વાતથી ઈનકાર કરતી રહી છે.
સમજો નવી શરતોમાં તમારા માટે કેટલું જોખમ