Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News Tech

ખગોળીય આનંદ લૂંટવા તૈયાર રહેજો, રાજ્યભરમાં 3 અને 4 જાન્યુ.એ આકાશમાં ઉલ્કા વર્ષા પડતી નજરે જોવા મળશે

shooting-star-comets-rain-down-from-outer-space-night-sky-heavens-incredivfx-Valsad-ValsadOnline

રાજ્યમાં અવકાશી ઉલ્કાવર્ષનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે. રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. ગુજરાતમાં તા.૪ જાન્યુઆરીએ આકાશમાં ઉલ્કા વર્ષા રાત્રિના ૨ઃ૨૧ થી ૧૨૦ મીટરની ઝડપથી ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે.

જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે જાન્યુઆરી ૧ થી ૪ – ચાર દિવસ સુધી આકાશમાં કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.૩ અને ૪ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૧૦૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે.

અવકાશી અજ્ઞાાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. ૬ ઠી એ જાથા લોકો સમક્ષ ઉલ્કા વર્ષાના ફોટા મુકી જાણકારી આપશે. કોરોનાના કારણે રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં પંડયા જણાવે છે કે કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે.

how-old-is-the-solar-system
સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૃપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

Related posts

પૌરાણિક :દાંતાના દીવડીમાં 822 વર્ષ જૂની સાડાચાર ફૂટની 2 જૈન મૂર્તિ સહિતના અવશેષો પણ મળ્યા

ValsadOnline

છેલ્લાં 50 વર્ષમાં આવું પહેલી વખત બન્યું,ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી

ValsadOnline

તમારા કામની તારીખ:માર્ચ પહેલાં આ 8 કામ પર ધ્યાન આપીને તમે નુકસાનથી બચી શકો છો

ValsadOnline