Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Astrology Religion

કેમ કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે

આ મેળો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનોમાં સૌથી વિશાળ હોય છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. દર 12 વર્ષે કુંભ દેશના ચાર પવિત્ર સ્થાન જે નદી કિનારે આવેલા છે તેમાંથી કોઈ એક સ્થળે ભરાય છે. કુંભ મેળો હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને અલાહાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે. 

જ્યોતિષ અનુસાર જ્યારે બૃહસ્પતિ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. તેમાં પણ પ્રયાગના કુંભનું સૌથી વધારે મહત્વ હોય છે. કુંભ મેળા પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. આ માન્યતા અમૃત મંથન સાથે જોડાયેલી છે.
the-kumbh-mela-is-held-every-12-years
કુંભ મેળાના મહત્વ પાછળ શું છે ? કારણ ?

દેવતાઓ અને રાક્ષસોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી પ્રકટ થયેલા રત્ન અને મૂલ્યવાન વસ્તુઓનો ભાગ પાડવાનો નિર્ણય કર્યો. સમુદ્ર મંથનમાંથી જે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ પ્રકટ થઈ હતી તે હતું અમૃત. અમૃત કળશને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. રાક્ષસોથી અમૃતને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ અમૃત કુંભ ગરુડને આપી દીધો. જ્યારે રાક્ષસો ગરુડ પાસેથી તે કુંભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તે કુંભમાંથી અમૃત છલકાવા લાગ્યું. આ ઘર્ષણ દરમિયાન અમૃત અલાહાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યું. ત્યારથી દર 12 વર્ષે આ ચારમાંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે.

દેવતાઓ અને દાનવો વચ્ચે કુંભ માટે 12 દિવસ સુધી 12 સ્થાન પર યુદ્ધ ચાલ્યું. આ 12 સ્થળ પર અમૃત છલક્યું હતું. જેમાંથી ચાર સ્થાન મૃત્યુલોકમાં છે અને અન્ય આઠ સ્થાન સ્વર્ગ લોકોમાં. દેવતાઓના 12 દિવસ એટલે મૃત્યુલોકમાં 12 વર્ષ એટલા માટે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. 

ક્યારે કરવામાં આવે છે કુંભમાં સ્નાન ?
the-kumbh-mela-is-held-every-12-years
આ વખતે મેળામાં 6 પ્રમુખ સ્નાન છે. જેમાં પહેલું સ્નાન મકરસંક્રાંતિના દિવસે થશે. સ્નાન સિવાય મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય જેવા કામનું પણ વધારે મહત્વ રહેલું છે.

કુંભનું બીજુ સ્નાન 11 ફેબ્રુઆરીએ મૌની અમાસે થશે. ત્રીજુ સ્નાન 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે થશે. ચોથુ સ્નાન 27 ફેબ્રુઆરીએ  માઘ પૂર્ણિમાની તિથિએ થશે. પાંચમુ સ્નાન 13 એપ્રિલે ચૈત્રી શુક્લ પ્રતિપદાએ થશે. અને છઠ્ઠુ સ્નાન 21 એપ્રિલે રામ નવમીના દિવસે થશે.

જોકે કુંભ મેળામાં સ્નાન માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત છે.

Related posts

8મી જૂન, 2018નું રાશિફળ

ValsadOnline

આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, પ્રાપ્ત કરશે સૌથી વધારે સફળતા વર્ષ 2021માં .

ValsadOnline

2021ની શુભ તારીખો

ValsadOnline