the-historic-jyoti-minar-of-valsad-city-has-been-given-a-new-look-Valsad-ValsadOnline

News

ઐતિહાસિક જ્યોતિ મિનારા:વલસાડ શહેરના ઐતિહાસિક જ્યોતિ મિનારાને નવો રંગરૂપ અપાયો

By ValsadOnline

December 28, 2020

વલસાડ શહેરની ઓળખ ગણાતા કલ્યાણ બાગ મધ્યે સ્થિત જ્યોતિ મિનારો 1962માં 1857 મુક્તિ સંગ્રામ શતાબદીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ મિનારાની ખાસીયત એ છેકે, તેના ઉપરથી આખું શહેર જોઇ શકાય છે ઉપરાંત શહેરના કોઇ પણ ખૂણેથી આ મિનારો દેખાય છે.

સમય જતા આ મિનારો જર્જરીત બની ગયો હતો. નગર પાલિકાએ હાલમાં 426 લાખના ખર્ચે રિનોવેશન કરી શનિવારે આ મિનારાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

Source