વલસાડ શહેરની ઓળખ ગણાતા કલ્યાણ બાગ મધ્યે સ્થિત જ્યોતિ મિનારો 1962માં 1857 મુક્તિ સંગ્રામ શતાબદીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ મિનારાની ખાસીયત એ છેકે, તેના ઉપરથી આખું શહેર જોઇ શકાય છે ઉપરાંત શહેરના કોઇ પણ ખૂણેથી આ મિનારો દેખાય છે.
સમય જતા આ મિનારો જર્જરીત બની ગયો હતો. નગર પાલિકાએ હાલમાં 426 લાખના ખર્ચે રિનોવેશન કરી શનિવારે આ મિનારાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.