યાદે 2020 કોરોનાની અસર:વલસાડના તિથલ, નારગોલ દરિયા કિનારો સૂમસામ બનીને રહી ગયો
કોરોના મહામારીએ વલસાડ જિલ્લાના જાણીતા પર્યટન સ્થળ તીથલ દરિયા કિનારો, ધરમપુરનું વિલ્સન હીલ, ઉમરગામના નારગોલ ખાતેનો જદરિયા કીનારો બંધ રાખવામાં આવ્યો હતો જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંતો સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બહારના લોકો ઉપર પ્રવેશ બંધી લાદી દીધી હતી.આમ પ્રવાશન સ્થળ પણ બંધ રહેતા લોકોએ 6 માસથી વધુ ઘરોમાં ભરાઇ રહેવું પડ્યું હતું.